ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની સ્પોર્ટ્સને ફરી ચાલુ કરો : વિજેન્દર સિંહ

27 August, 2020 09:22 PM IST  |  New Delhi | IANS

ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની સ્પોર્ટ્સને ફરી ચાલુ કરો : વિજેન્દર સિંહ

વિજેન્દર સિંહ

ઑલિમ્પિક બ્રૉન્ઝ મેડલિસ્ટ ઇન્ડિયન બૉક્સર વિજેન્દર સિંહનું કહેવું છે કે ઇન્ડિયા-પાકિસ્તાન વચ્ચેની સ્પોર્ટ્સને ફરી શરૂ કરવી જોઈએ. આ બે દેશ વચ્ચેની મૅચ જોવા માટે દુનિયા ઉત્સુક હોય છે અને એમાં પણ ખાસ કરીને ક્રિકેટ મૅચ. જોકે બૉક્સિંગની મૅચ પણ બન્ને દેશો વચ્ચે ખૂબ જ જોવાય છે. અગાઉ બ્રિટિશ, પરંતુ પાકિસ્તાન ઓરિજિન બૉક્સર આમિર ખાને પણ આ બન્ને દેશ વચ્ચે સ્પોર્ટ્સ રમાડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ વિશે વિજેન્દર સિંહે કહ્યું હતું કે ‘બન્ને દેશોએ સાથે મળવું જોઈએ અને સ્પોર્ટ્સથી દરેક દુઃખ દૂર કરી શકાય છે.’

cricket news sports news vijender singh