બૉલ છોડો એટલે લોકો કહે છે કે ધોનીને રિપ્લેસ નહીં કરો: રાહુલ

28 April, 2020 10:32 AM IST  |  Mumbai | Agencies

બૉલ છોડો એટલે લોકો કહે છે કે ધોનીને રિપ્લેસ નહીં કરો: રાહુલ

કે. એલ. રાહુલ

કે. એલ. રાહુલનું કહેવું છે કે તમે એક ભૂલ કરો અને લોકો કહેવાનું શરૂ કરી દે છે કે એમ. એસ. ધોનીને કોઈ રિપ્લેસ ન કરી શકે. ધોની ટીમમાં આવવાના ચાન્સ ઓછા છે અને એથી જ તેની જગ્યા રિષભ પંત અથવા રાહુલને મળે એવી ચર્ચા ચાલી રહી છે. રાહુલનો પર્ફોર્મન્સ જોતાં તેના ચાન્સ વધુ લાગી રહ્યા છે. આ વિશે વાત કરતાં રાહુલે કહ્યું હતું કે ‘જે લોકો ક્રિકેટ જુએ છે તેમને ખબર છે કે હું લાંબો સમય વિકેટકીપિંગથી દૂર નથી રહ્યો. મેં કર્ણાટક માટે હોય કે પછી દરેક આઇપીએલ હોય, મેં વિકેટકીપિંગ કર્યૂં છે. હું હંમેશાં વિકેટકીપિંગના ટચમાં રહ્યો છું. જો ટીમને મારી જરૂર હોય તો હું એ કરવા ખૂબ ખુશ છું. હું જ્યારે ઇન્ડિયા માટે પહેલી વાર કીપિંગ કરી રહ્યો હતો ત્યારે હું લોકોના પ્રેશરને લઈને ખૂબ નર્વસ હતો. જો તમે એક પણ બૉલ છોડ્યો તો લોકો કહેશે કે તમે ધોનીને રિપ્લેસ ન કરી શકો. ધોની જેવા લેજન્ડરી વિકેટકીપરને રિપ્લેસ કરવું એ ઘણી મોટી વાત છે, કારણ કે એ માટે લોકો તમને સ્વીકારે એ પણ જરૂરી છે.’

kl rahul ms dhoni cricket news sports news