ફાઇનલમાં ભારતને ચૅમ્પિયન બનાવનાર જોગિન્દરને આઇસીસીની સલામ

30 March, 2020 03:18 PM IST  |  Mumbai Desk | IANS

ફાઇનલમાં ભારતને ચૅમ્પિયન બનાવનાર જોગિન્દરને આઇસીસીની સલામ

જોગિન્દર ટીમ ઇન્ડિયા માટે માત્ર ચાર ઇન્ટરનૅશનલ વન-ડે અને ચાર ઇન્ટનૅશનલ ટી૨૦ મૅચ રમ્યો છે.

ઇન્ડિયાને ૨૦૦૭માં વર્લ્ડ ટી૨૦ ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર જોગિન્દર શર્માને ભુલાય એમ નથી. પાકિસ્તાન સામેની એ ફાઇનલ મૅચમાં છેલ્લી નિર્ણાયક ઓવર નાખીને જોગિન્દરે ભારતને વર્લ્ડ ટી૨૦ ચૅમ્પિયન બનાવ્યું હતું. આ વખતે ફરી એક વાર જોગિન્દરે સલામી મેળવવા જેવું ઉમદા કામ કર્યું છે જેનાં વખાણ ખુદ આઇસીસીએ પણ કર્યાં છે. 

ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધા બાદ જોગિન્દર પોતાના વતન હરિયાણામાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસના પદે કારભાર સંભાળી રહ્યો છે અને આ ફરજ બજાાંતા તેનો એક માસ્ક પહેરેલો ફોટો આઇસીસીએ પોતાના સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો છે. કોરોનાના માહોલમાં લોકોને મદદ કરી રહેલા જોગિન્દરના આ ફોટો સાથે આઇસીસીએ લખ્યું છે, ‘૨૦૦૭ ટી૨૦ વર્લ્ડ કપનો હીરો ૨૦૨૦માં વર્લ્ડનો રિયલ હીરો. ક્રિકેટ પછીની કરીઅરમાં પોલીસમૅન તરીકેની ફરજ બજાવતો જોગિન્દર શર્મા કોરોનાની મહાબીમારીથી લોકોને બચાવવામાં પોતાનું યોગદાન આપી રહ્યો છે.’
જોગિન્દર ટીમ ઇન્ડિયા માટે માત્ર ચાર ઇન્ટરનૅશનલ વન-ડે અને ચાર ઇન્ટનૅશનલ ટી૨૦ મૅચ રમ્યો છે.

cricket news sports sports news coronavirus covid19