પાકિસ્તાન-શ્રીલંકાની વન-ડે મૅચ રીશેડ્યુલ થતાં આઇસીસીએ કરી મશ્કરી

29 September, 2019 09:21 AM IST  |  નવી દિલ્હી

પાકિસ્તાન-શ્રીલંકાની વન-ડે મૅચ રીશેડ્યુલ થતાં આઇસીસીએ કરી મશ્કરી

ICC

પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચેની ત્રણ વન-ડે મૅચની સિરીઝમાં મેઘરાજા જબરદસ્ત પ્રહાર કરી રહ્યા છે. ૨૭મીએ રમાવાની હતી એ પહેલી વન-ડે મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, પણ કરાચીમાં એટલો વરસાદ પડ્યો કે આજે રમાનારી બીજી વન-ડે મૅચ પણ મોકૂફ કરવી પડી હતી. આઇસીસીએ આ અંગે મજેદાર ટ્વીટ કરીને જાણકારી આપી હતી. બન્ને દેશો વચ્ચેની બીજી વન-ડે મૅચ હવે સોમવારે ૩૦ સપ્ટેમ્બરે રમાશે. આ વિશે જાણકારી આપતાં આઇસીસીએ કહ્યું હતું કે ‘પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે કરાચીમાં રમાનારી બીજી વન-ડે મૅચ રીશેડ્યુલ કરવામાં આવી છે. આ મૅચ ૨૯ સપ્ટેમ્બરને બદલે હવે ૩૦ સપ્ટેમ્બરે રમાશે. શું તમે ક્યારેય સાંભળ્યું છે ખરું કે કશે એટલોબધો વરસાદ હોય જેને કારણે બે દિવસ પછીની મૅચ પણ રીશેડ્યુલ કરવી પડી હોય?’
નોંધનીય છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને શ્રીલંકા ક્ર્કિેટ બોર્ડે સાથે મળીને આ મૅચને એક દિવસ પાછ‍ળ ઠેલવાનો નિર્ણય લીધો છે.

pakistan sri lanka cricket news