23 November, 2011 09:24 AM IST |
ઍરોનને તેના મિત્ર ઉમેશ યાદવને બદલે લેવામાં આવ્યો હતો. એ વિશે પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું કે ‘ખુદ મને પણ નવાઈ લાગી છે. ઉમેશ સિરીઝમાં પહેલી બે ટેસ્ટ રમ્યો હતો એટલે હું એવું માનતો હતો કે આ મૅચમાં પણ તેને જ લેવામાં આવશે. જોકે મને લાગે છે કે તે ફાસ્ટ બોલર હોવાથી તેને થોડા આરામની જરૂર હશે એટલે તેને વેસ્ટ ઇન્ડીઝ સામેની આગામી વન-ડે સિરીઝ પહેલાં રેસ્ટ આપવા ટીમ-મૅનેજમેન્ટે મને રમવાની તક આપી છે.’
ઍરોનને આ મૅચથી ટેસ્ટકરીઅર શરૂ કરવા મળશે એની તેને સોમવારે રાત્રે જ ખબર પડી હતી.
ઍરોને ત્રણ કરીઅર વાનખેડેથી શરૂ કરી
ગઈ કાલે ઍરોનને ૧૬ ઓવરમાં ૪૭ રનના ખર્ચે એકેય વિકેટ નહોતી મળી. તેણે ૨૩ ઑક્ટોબરે ઇંગ્લૅન્ડ સામેની મૅચથી વન-ડેની કરીઅર પણ વાનખેડેમાં જ શરૂ કરી હતી જેમાં તેણે ૨૪ રનમાં ત્રણ વિકેટ લીધી હતી. ઍરોને પ્રથમ અન્ડર-૧૯ મૅચ પછી વાનખેડેમાં જ રમ્યો હતો.