વન-ડેમાં કમબૅક કરવા માગું છું : અજિંક્ય રહાણે

12 July, 2020 01:06 PM IST  |  Mumbai Desk | Agencies

વન-ડેમાં કમબૅક કરવા માગું છું : અજિંક્ય રહાણે

આજિંક્ય રહાણે

ઇન્ડિયન ટેસ્ટ ક્રિકેટ ટીમના વાઇસ કૅપ્ટન અજિંક્ય રહાણે વન-ડે ક્રિકેટમાં કમબૅક કરવા માટે ઘણો આતુર છે. ભારતીય ટીમ માટે ઓપનર અને ચોથા નંબરે બૅટિંગ કરી અજિંક્યએ પોતાની ટૅલન્ટનો પરચો આપ્યો હતો. ૨૦૧૮થી તેને ટીમમાંથી ડ્રૉપ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ટીમમાં તે કમબૅક કરી શક્યો નથી. રહાણેએ કહ્યું કે ‘ભારતીય ટીમ માટે વન-ડેમાં ઓપનિંગ કરવું મને વધારે ગમે છે, પણ જરૂર પડે તો ચોથા નંબરે પણ હું બૅટિંગ કરવા તૈયાર છું. આ બન્ને જવાબદારીઓ મને ગમે છે. ચોથા નંબરે બૅટિંગ કર્યા બાદ ફરીથી ઓપનિંગ કરવા આવવું થોડું અઘરું છે, કારણ કે તમારી પોઝિશન બદલાઈ જાય છે. જોકે એમ છતાં હું બન્ને કામ કરવા તૈયાર છું. વન-ડેમાં હું કમબૅક કરવા માગું છું, પણ મને નથી ખબર કે મને એ તક ક્યારે મળશે. માનસિક રીતે હું ત્રણેય ફૉર્મેટમાં રમવા તૈયાર છું. ટૂંકમાં તમારે તમારી જાતને પૉઝિટિવ રાખીને આગળ વધવાની જરૂર છે.’

cricket news sports sports news ajinkya rahane