બોર્ડ પરથી મારો વિશ્વાસ ડગમગી ગયો છે : સની

14 December, 2011 09:21 AM IST  | 

બોર્ડ પરથી મારો વિશ્વાસ ડગમગી ગયો છે : સની



સનીએ પીટીઆઈને જણાવ્યું હતું કે ‘ભૂતપૂર્વ બોર્ડપ્રમુખ શરદ પવાર અને લલિત મોદીએ મને આઇપીએલના એક કૉન્ટ્રૅક્ટના પાંચ કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. અરુણ જેટલીએ પણ મને ખાતરી આપી હતી. જોકે બોર્ડ મારી બાકી નીકળતી રકમ ચૂકવવાની બાબતમાં હવે ફરી બેઠું છે. એના આ યુ-ટર્નથી મને આઘાત લાગ્યો છે. બોર્ડ આવો અભિગમ લેશે એ મેં વિચાર્યું જ નહોતું. બોર્ડ પરથી મારો વિશ્વાસ ડગમગી ગયો છે.’