મને નથી લાગતું કે ધોની ઇન્ડિયા માટે ફરી રમે : હરભજન સિંહ

17 January, 2020 01:51 PM IST  |  New Delhi

મને નથી લાગતું કે ધોની ઇન્ડિયા માટે ફરી રમે : હરભજન સિંહ

હરભજન સિંહ

હરભજન સિંહનું કહેવું છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મહેન્દ્ર સિંહ ધોની ઉત્તમ પર્ફોર્મન્સ આપે તો પણ તેને નથી લાગતું કે તે ભારતીય ટીમ માટે ફરી રમશે. ધોનીને ગઈ કાલે સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો. આ વિશે હરભજન સિંહનું કહેવું છે કે ‘મને નથી લાગતું કે તે ફરી ઇન્ડિયા માટે રમશે, કારણ કે તેણે પહેલેથી જ નક્કી કર્યું હતું કે તે વર્લ્ડ કપ સુધી જ રમશે. તે હાલમાં આઇપીએલ માટે તૈયારી કરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે.’

આઇપીએલમાં સારા પર્ફોર્મન્સ બાદ ધોની ટી૨૦ વર્લ્ડ કપમાં રમી શકે છે એ વિશે પૂછતાં હરભજને કહ્યું હતું કે ‘મને વિશ્વાસ છે કે ધોની આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ દ્વારા અદ્ભુત દેખાવ કરશે. જોકે મેં કહ્યું એમ મને નથી લાગતું કે તે ઇન્ડિયા માટે ફરી રમશે.’

harbhajan singh cricket news sports news ms dhoni Rishabh Pant indian premier league