વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાન સામે ન રમે ભારત : હરભજન

19 February, 2019 11:19 AM IST  | 

વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાન સામે ન રમે ભારત : હરભજન

હરભજન સિંહ

હરભજન સિંહે કહ્યું હતું કે પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાન સામે ન રમવું જોઈએ. ગઈ કાલે એક ટીવી-ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે ‘ભારત એટલું મજબૂત છે કે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમ્યા વગર પણ વર્લ્ડ કપ જીતી શકે છે. હુમલો ખરેખર અકલ્પનીય હતો.. સરકાર પોતાની રીતે પગલાં લેશે, પરંતુ ક્રિકેટની વાત કરીએ તો મને એવું લાગે છે કે આપણે તેમની સાથે કોઈ પણ પ્રકારના સંબધો ન રાખવા જોઈએ, અન્યથા તેઓ આપણી સાથે આ રીતે જ વર્તન કરતા રહેશે. ભારતે વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાન સામે ન રમવું જોઈએ. દેશ સૌથી પહેલાં.’

harbhajan singh team india