ગંભીર એક જિજ્ઞાસુ વ્યક્તિ અને તે ગેમને સંપૂર્ણપણે સમર્પિત થઈ જાય છે

12 June, 2020 01:32 PM IST  |  New Delhi | Agencies

ગંભીર એક જિજ્ઞાસુ વ્યક્તિ અને તે ગેમને સંપૂર્ણપણે સમર્પિત થઈ જાય છે

વીવીએસ લક્ષ્મણ

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર વીવીએસ લક્ષ્મણે હાલમાં ગૌતમ ગંભીરને ટ્રિબ્યુટ આપીને તેનાં વખાણ કર્યાં છે. લક્ષ્મણે કહ્યું કે ગંભીર એક જિજ્ઞાસુ વ્યક્તિ છે અને તે ગેમને સંપૂર્ણપણે સમર્પિત થઈ જાય છે. ગૌતમ ગંભીર માટે વીવીએસ લક્ષ્મણે કહ્યું કે ‘ગંભીર એક એવી વ્યક્તિ છે જે ગેમ પ્રત્યે પૂરેપૂરી સમર્પિત છે અને તે એક જિજ્ઞાસુ વ્યક્તિ છે. કોઈ ફાસ્ટ બોલર હોય કે ખરાબ ટ્રૅક હોય, ગંભીરને ખબર છે કે તેણે પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરવાનો છે.’

૨૦૦૩માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ગૌતમ ગંભીરે ભારતીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તે અત્યાર સુધી કુલ ૫૮ ટેસ્ટ, ૧૩૭ વન-ડે અને ૩૭ ટી૨૦ ગેમ રમ્યો છે.

vvs laxman gautam gambhir cricket news sports news