એબી કુરુવિલાને મળી શકે છે નૅશનલ સિલેક્ટર્સ પેનલમાં જગ્યા

20 November, 2020 02:08 PM IST  |  Mumbai | PTI

એબી કુરુવિલાને મળી શકે છે નૅશનલ સિલેક્ટર્સ પેનલમાં જગ્યા

કુરુવિલા

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર એબી કુરુવિલાને ભારતીય ટીમની નૅશનલ સિલેક્ટર્સ પેનલમાં સ્થાન મળી શકે છે. પેનલમાં ત્રણ ખાલી પડેલી જગ્યાઓ પર કુરુવિલાને સ્થાન મળવાની સંભાવના છે. કુરુવિલાએ ૧૩મી નવેમ્બરે આ માટે અરજી કરી હતી. કુરુવિલેએ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૨૫ વિકેટ મેળવી છે. આ ઉપરાંત ૨૦૦૮-૧૨ના જૂનિયર સિલેક્શન પેનલમાં પણ સામેલ હતો જે વખતે ભારતે ૨૦૧૨માં અંડર-૧૯ વર્લ્ડ કપ જીત્યો હતો.
ઉલ્લેખનીય છે કે પેનલમાં સ્થાન મેળવવા કુરુવિલેનો સામનો અજીત આગરકર સાથે થઈ શકે છે, જેને પેનલના પ્રબળ દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યો છે. અજીત આગરકરે મુંબઈના મુખ્ય સિલેક્ટર્સ તરીકે પણ કામ કર્યું છે. આ પેનલનું ગઠન મદન લાલના નેતૃત્વવાળી ક્રિકેટ એડવાઇઝરી કમિટી કરશે જેમાં આર.પી. સિંહ અને સુલ્ક્ષણા નાઇક પણ સામેલ હશે.

cricket news sports news