22 January, 2022 09:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભાવનગરના અંશ ગોસાઈ સહિત પાંચ પ્લેયરને અન્ડર-19 વર્લ્ડ કપમાં રમવા બોલાવાયા
લખનઉમાં સૈયદ મોદી ઇન્ટરનૅશનલ અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ રમવા વેસ્ટ ઇન્ડીઝ ગયેલી ભારતીય ટીમના કૅપ્ટન યશ ધુલ સહિત પાંચ પ્લેયરો કોરોનાગ્રસ્ત થતાં તેઓ આજે યુગાન્ડા સામેની મૅચમાં નહીં રમે. ભારતીય ટીમ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. કોરોનાગ્રસ્ત ખેલાડીઓ હજી થોડા દિવસ નહીં રમી શકે એ જોતાં પાંચ અનામત ખેલાડીઓને તાબડતોબ વેસ્ટ ઇન્ડીઝ પહોંચવા જણાવાયું છે.
આ પાંચ પ્લેયરમાં ભાવનગરનો અંશ ગોસાઈ પણ છે. એ ઉપરાંત ઉદય સહરાન, રિશીત રેડ્ડી, અભિષેક પોરેલ અને પુષ્પેન્દ્ર રાઠોરને પણ બીસીસીઆઇએ વેસ્ટ ઇન્ડીઝ મોકલ્યા છે.
ગઈ કાલે વાસુ વત્સનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.