30 April, 2020 12:45 PM IST | New Delhi | Agencies
ડ્વેઇન બ્રાવો
આઇપીએલની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ અનેક લોકોની મનપસંદ ટીમ છે. જોકે ડ્વેઇન બ્રાવોનું કહેવું છે કે સીએસકે ટીમમાં જે પારિવારિક માહોલ છે એવો માહોલ અન્ય કોઈ ટીમમાં જોવા નથી મળ્યો. આ વિશે બ્રાવોએ કહ્યું કે ‘સીએસકેમાં જે પણ પ્લેયર જોડાય છે તે આ પ્રમાણેનો જ વિચાર ધરાવે છે. તમે જ્યારે ટીમમાં સામેલ થાઓ છો ત્યારે તમારું પરિવારજનોની માફક સ્વાગત કરવામાં આવે છે. હું અનેક ટીમો માટે રમ્યો છું, પણ આવું પારિવારિક વાતાવરણ ક્યાંય જોવા નથી મળ્યું. પ્લેયર તરીકે તમારા માટે જરૂરી છે કે ટીમ મૅનેજમેન્ટ, ટીમનો માલિક અને કૅપ્ટન તમને સમજે. તમે સારું પર્ફોર્મ ન કરો તો તે લોકો તમને એક તક આપશે, પણ પર્ફોર્મ તો તમારે જ કરવું પડશે. સીએસકેની સારી વાત એ છે કે તે દરેકને પોતાની માફક ગેમ રમવાનો અવકાશ આપે છે. કોઈ પણ ટીમનો પ્લેયર સારું પ્રદર્શન કરે તો તેની ઉજવણી આખી ટીમ સાથે મળીને કરે છે.’