ફાઇનલમાં ટીમમાં સામેલ ન કરવા બદલ હરભજન સિંહે બળાપો કાઢ્યો

26 May, 2017 06:50 AM IST  | 

ફાઇનલમાં ટીમમાં સામેલ ન કરવા બદલ હરભજન સિંહે બળાપો કાઢ્યો

ફાઇનલ વખતે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન ન આપવા બદલ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન હરભજન સિંહે એક ટીવી-ચૅનલ સાથેની વાતચીત દરમ્યાન નારાજગી વ્યક્ત કરી હતી. ભજીએ કહ્યું હતું કે ‘ટુર્નામેન્ટમાં મારો ૬.૪૮નો ઇકૉનૉમી રેટ સૌથી શ્રેષ્ઠ છે. આવા બોલરને ફાઇનલ મૅચમાંથી બહાર રાખવાની રણનીતિ સમજાય એવી નથી. સ્વાભાવિક છે કે આને લીધે હું નિરાશ થયો હતો. હું મેદાનની બહાર બેઠો-બેઠો મૅચ જોઈ રહ્યો હતો અને મૅનેજમેન્ટના નિર્ણય સામે કંઈ કહી શકું એમ નહોતો.’

ભજી ગયા વર્ષે પ્લેઇંગ ઇલેવનનું સિલેક્શન કરતી ટીમનો મેમ્બર હતો, પણ આ વર્ષે પત્ની અને નાની બેબી સાથે સમય પસાર કરવા એ જવાબદારીમાંથી મુક્ત થયો હતો અને એનું જ તેને પરિણામ ભોગવવું પડ્યું હતું.