25 August, 2012 10:07 AM IST |
તેના આ નિર્ણયને લીધે નિયમ પ્રમાણે ઑગસ્ટ ૧૯૯૮ પછી જીતેલા સાત ટાઇટલ્સ, ૨૦૦૦ સિડની ઑલિમ્પિક્સાં જીતેલો બ્રૉન્ઝ મેડલ અને બીજા અવૉર્ડ્સ તથા ઇનામી રકમ ગુમાવવી પડશે. એ ઉપરાંત તે આજીવન કોઈ સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે કે કોઈ સ્પર્ધામાં કોચ કે અધિકારી તરીકેની ભૂમિકા પણ નહીં ભજવી શકે.
આર્મસ્ટ્રૉન્ગ કૅન્સર સામે લડીને એક પછી એક અનેક ટાઇટલ્સ જીતીને દુનિયાભરમાં હીરો બની ગયો હતો. યુવરાજ સિંહે પણ કૅન્સર સામેની પોતાની લડાઈ વખતે આર્મસ્ટ્રૉન્ગ પાસેથી પ્રેરણા લીધી હતી. આર્મસ્ટ્રૉન્ગને એની જાણ થતાં તેણે યુવરાજને હિંમત આપતો એક વિડિયો-સંદેશો પણ મોકલ્યો હતો.