વેસ્ટ ઇન્ડીઝ સામેની છેલ્લી બે વન-ડે માટે અક્ષર પટેલનો ટીમ ઇન્ડિયામાં સમાવેશ

15 October, 2014 04:08 AM IST  | 

વેસ્ટ ઇન્ડીઝ સામેની છેલ્લી બે વન-ડે માટે અક્ષર પટેલનો ટીમ ઇન્ડિયામાં સમાવેશ



વેસ્ટ ઇન્ડીઝ સામે ધરમશાલા તથા કલકત્તામાં રમાનારી બે વન-ડે તથા એકમાત્ર T૨૦ માટે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની પસંદગી થઈ ગઈ છે. છેલ્લી બે વન-ડે તથા T૨૦ માટે ટીમ ઇન્ડિયામાં ૨૦ વર્ષના લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલની પસંદગી થઈ છે. અક્ષર IPLમાં પંજાબની ટીમ વતી રમે છે. તાજેતરમાં જ તેણે સારી બોલિંગ કરી હતી તો T૨૦માં મનીષ પાંડે તથા રાજસ્થાન રૉયલ્સના સ્ટુઅર્ટ બિન્ની તથા સંજુ સૅમસનને તક આપવામાં આવી છે. સ્ટુઅર્ટ બિન્ની તથા સંજુ સૅમસનની ઇંગ્લૅન્ડના પ્રવાસ માટે પણ પસંદગી કરવામાં આવી હતી. જોકે સંજુ સૅમસનને એ વખતે તક નહોતી મળી. મનીષ પાંડેએ IPLમાં કલકત્તાની ટીમ વતી ૧૬ મૅચમાં કુલ ૪૦૧ રન બનાવ્યા હતા.  તે સમય તેની ઍવરેજ ૩૦.૮૪ રનની હતી.

વન-ડે ટીમ

મહેન્દ્ર સિંહ ધોની (કૅપ્ટન), શિખર ધવન, અજિંક્ય રહાણે, વિરાટ કોહલી, સુરેશ રૈના, અંબાતી રાયડુ, રવીન્દ્ર જાડેજા, અમિત મિશ્રા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, ઇશાન્ત શર્મા, ઉમેશ યાદવ, મુરલીધર વિજય, કુલદીપ યાદવ અને અક્ષર પટેલ.

T૨૦ ટીમ

મહેન્દ્ર સિંહ ધોની (કૅપ્ટન), શિખર ધવન, અજિંક્ય રહાણે, વિરાટ કોહલી, સ્ટુઅર્ટ બિન્ની, સુરેશ રૈના, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કર્ણ શર્મા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, સંજુ સૅમસન, મનીષ પાંડે અને ઉમેશ યાદવ