રહાણેએ ડોનેટ કર્યા ૧૦ લાખ રૂપિયા

30 March, 2020 05:29 PM IST  |  Mumbai Desk | IANS

રહાણેએ ડોનેટ કર્યા ૧૦ લાખ રૂપિયા

ઇન્ડિયન ટેસ્ટ ક્રિકેટ ટીમના વાઇસ કૅપ્ટન અજિંક્ય રહાણેએ આગળ આવીને કોરોના વાઇરસ સામેની લડાઈમાં પોતાનું યોગદાન આપતાં મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર્સ રિલીફ ફન્ડમાં ૧૦ લાખ રૂપિયા ડોનેટ કર્યા છે. રહાણે ઉપરાંત માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે ૫૦ લાખ રૂપિયા અને સુરેશ રૈનાએ બાવન લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડે પણ આગળ આવીને પ્રાઇમ મિનિસ્ટર્સ સિટિઝન અસિસ્ટન્સ ઍન્ડ રિલીફ ઇન ઇમર્જન્સી સિચુએશન્સ ફન્ડમાં ૫૧ કરોડ રૂપિયા જમા કરાવવાનો નિર્ણય લીધો છે.

coronavirus covid19 cricket news sports sports news ajinkya rahane