શ્રીલંકા ક્રિકેટ બોર્ડની બીસીસીઆઇને ટૂર રદ ન કરવાની અરજી

17 May, 2020 09:57 AM IST  |  Columbo | Agencies

શ્રીલંકા ક્રિકેટ બોર્ડની બીસીસીઆઇને ટૂર રદ ન કરવાની અરજી

બીસીસીઆઈ

શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડને અરજી કરી છે કે તેમની વચ્ચેની ટૂર જુલાઈમાં થવાની હતી એને રદ કરવામાં ન આવે અને એ યોજવા માટે કોઈ વિકલ્પ શોધવામાં આવે. પ્રાપ્ત માહિતી મુજબ શ્રીલંકા ક્રિકેટ બોર્ડે બીસીસીઆઇને ઈ-મેઇલ દ્વારા આ અરજી કરી છે. જુલાઈના મધ્યમાં વિરાટ કોહલી ઍન્ડ ટીમ શ્રીલંકામાં ત્રણ વન-ડે અને ત્રણ ટી૨૦ મૅચ રમવા જવાની હતી. પણ કોરોનાને કારણે આ સિરીઝ યોજવી શક્ય લાગતી નથી. ભારત પહેલાં ઇંગ્લૅન્ડે પણ માર્ચ મહિનામાં યાજાનારી શ્રીલંકા ટૂર કૅન્સલ કરવી પડી હતી.

cricket news sports news board of control for cricket in india sri lanka