27 April, 2020 01:26 PM IST | New Delhi | Agencies
સુરેશ રૈના
કોરોના વાઇરસને કારણે મોટા ભાગના ક્રિકેટરો પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે એવામાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમથી દૂર રહેલા સુરેશ રૈનાએ હાલમાં એક મુલાકાતમાં પોતાની વાત કહી હતી.
એક મુલાકાતમાં રૈનાએ કહ્યું કે ‘હું હળદરવાળું દૂધ પીઉં છું જેથી મારી ઇમ્યુનિટી વધી શકે અને ખરેખર એવું લાગી રહ્યું છે કે જૂના વીતેલા દિવસો પાછા આવી ગયા.’
આ ઉપરાંત રૈનાએ એમ પણ કહ્યું હતું કે હાલના સમયમાં હું મારા માથાના વાળ કરતાં શાકભાજી વધારે ધોઉં છું. ઘરના કામમાં મદદ કરવાની સાથે-સાથે હું ક્યારેક ટૉઇલેટ પણ સાફ કરી આપું છું અને મમ્મી તેમ જ દાદી સાથે જૂના દિવસોને યાદ કરું છું. નોંધનીય છે કે સુરેશ રૈના આઇપીએલની ચેન્નઈ સુપર કિંગ્સમાં રમતો જોવા મળી શકવાનો હતો, પણ કોરોના વૈશ્વિક મહાબીમારીને કારણે આઇપીએલ મોકૂફ થતાં એ શક્ય બન્યું નહોતું.