પાકિસ્તાન સામેની પ્રથમ મૅચ ક્રિસમસના દિવસે

02 November, 2012 05:40 AM IST  | 

પાકિસ્તાન સામેની પ્રથમ મૅચ ક્રિસમસના દિવસે



નવી દિલ્હી: ભારતમાં પાકિસ્તાન સાથે ક્રિકેટ સિરીઝો રાખવા બુધવારે ગૃહ મંત્રાલયે મંજૂરી આપ્યા બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે સત્તાવાર શેડ્યુલ જાહેર કર્યું હતું જે મુજબ પાકિસ્તાન સામેની ભારતની પ્રથમ મૅચ ૨૫ ડિસેમ્બરે રમાશે. નાતાલના દિવસે શરૂ થનારી આ T20 સિરીઝ પછી વન-ડે સિરીઝ શરૂ થશે.

T20 સિરીઝની પ્રથમ મૅચ બૅન્ગલોરમાં અને બીજી અમદાવાદમાં રમાશે. જોકે વન-ડે સિરીઝની પણ એક પણ મૅચ મુંબઈમાં નહીં રમાય.

ઇંગ્લૅન્ડની ટીમ મુંબઈમાં બાવીસમી ડિસેમ્બરે ભારત સામે T20 સિરીઝની બીજી અને છેલ્લી મૅચ રમશે અને એ જ દિવસે પાકિસ્તાની ટીમ ભારત આવશે. પાકિસ્તાની પ્લેયરોનું બાવીસમી ડિસેમ્બરે બૅન્ગલોરમાં આગમન થશે.

પાકિસ્તાની ખેલાડીઓ ભારતમાં છેલ્લે ૨૦૦૧ના વર્લ્ડ કપ દરમ્યાન મોહાલીની સેમી ફાઇનલમાં રમ્યા હતા, પરંતુ ૨૦૦૮ના મુંબઈ ટૅરર-અટૅક પછી બન્ને દેશો વચ્ચે વન-ટુ-વન સિરીઝ નથી રમાઈ.