લિનને દુઃખ થયું નથી કેકેઆર માટે

20 November, 2019 11:10 AM IST  |  New Delhi

લિનને દુઃખ થયું નથી કેકેઆર માટે

ક્રિસ લિન

 આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમમાંથી બહાર થયા બાદ ઑસ્ટ્રેલિયન પ્લેયર ક્રિસ લિનનું કહેવું છે કે મને એ માટે કોઈ પ્રકારનું દુઃખ થયું નથી. આ વિશે વધુ જણાવતાં લિને કહ્યું હતું કે ‘કેકેઆરના માલિકથી માંડીને સપોર્ટ-સ્ટાફ અને હેડ-કોચ સાથે મારે ઘણા સારા સંબંધ છે. મને તેમને માટે કોઈ હાર્ડ ફીલિંગ્સ નથી. મારા માટે સંબંધો ટકાવી રાખવા એ જ મહત્ત્વનું છે. ટીમમાંથી મારાથી પણ સારું રમી શકે એવા પ્લેયર્સ છે જેને બહાર કરી દેવામાં આવ્યા છે. કેકેઆરનું લક્ષ્ય ટુર્નામેન્ટ જીતવાનું છે એટલે સ્વાભાવિક છે કે હેડ-કોચ એ દિશાને ધ્યાનમાં રાખીને જ પ્રાયોરિટી નક્કી કરી રહ્યા હશે.’
તાજેતરમાં અબુ ધાબીમાં રમાઈ રહેલી ટી૧૦માં લિને ૩૦ બૉ‍લમાં ૯૧ રન કર્યા હતા.

sports news indian premier league