પિન્ક બૉલથી રમવું એ એકમાત્ર ચૅલેન્જ : પુજારા

02 November, 2019 04:48 PM IST  |  મુંબઈ ડેસ્ક

પિન્ક બૉલથી રમવું એ એકમાત્ર ચૅલેન્જ : પુજારા

કલકત્તા : (આઇ.એ.એન.એસ.) ભારત અને બંગલા દેશની ક્રિકેટ ટીમ પહેલી વાર પિન્ક બૉલ વડે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવા જઈ રહી છે એવામાં ચેતેશ્વર પુજારાનું કહેવું છે કે પિન્ક બૉલથી રમવું એ એકમાત્ર ચૅલેન્જ છે. 

પુજારાનું આ સંદર્ભે કહેવું છે કે ‘આ ખૂબ જ એક્સાઇટિંગ રહેશે. અમે ફર્સ્ટ ક્લાસ મૅચ એનાથી રમ્યા છે, પણ આ ટેસ્ટ મૅચ છે. મને આશા છે કે ટીમના બીજા પ્લેયરો પણ ઘણા ઉત્સુક હશે. હા, આ બૉલ સાથે રમવાનો વધારે
અનુભવ નથી, પણ જેમ-જેમ તમે એનાથી રમશો એમ તમને વધારે ખબર પડતી જશે. મારા મતે રાતના સમયમાં પિન્ક બૉલ સાથે રમવાનો વધારે અનુભવ નથી એ જ એકમાત્ર અમારી સામે પડકાર છે. બાકી તો ટીમ બધી રીતે સક્ષમ છે. ટેસ્ટ ટીમમાં ઘણા એવા પ્લેયર છે જેમને આ બૉલ સાથે રમવાનો અનુભવ છે અને એ ટીમને મદદરૂપ થઈ શકશે.’

cricket news sports news sports