હરભજનને છ મહિના કરતાં વધુ સમય ટીમની બહાર રખાય જ નહીં : ગાંગુલી

29 August, 2012 06:34 AM IST  | 

હરભજનને છ મહિના કરતાં વધુ સમય ટીમની બહાર રખાય જ નહીં : ગાંગુલી

નવી દિલ્હી: દેશના ટોચના ત્રણ સ્પિનરોના નામ લેવામાં આવે તો એમાં ભજીનો સમાવેશ કરી જ શકાય. હું જે કહું છું એને ભજીની તરફેણ કહો કે તેના પ્રત્યેનો મારો પ્રેમ કહો, હું ક્રિકેટ બોર્ડને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવા માગું છું કે ભજી જેવા વલ્ર્ડ-ક્લાસ બોલરને છ મહિનાથી વધુ ટીમની બહાર રખાય જ નહીં. તેને એક વર્ષ સુધી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાની ફરજ પાડવી વધુપડતું કહેવાય.’

હરભજન છેલ્લે ટીમ ઇન્ડિયા વતી ઑગસ્ટ ૨૦૧૧માં નૉટિંગહૅમમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમૅચમાં રમ્યો હતો.