ખેલ રત્ન અવૉર્ડ માટે નૉમિનેટ થયો રોહિત

31 May, 2020 03:04 PM IST  |  Mumbai | Agencies

ખેલ રત્ન અવૉર્ડ માટે નૉમિનેટ થયો રોહિત

રોહિત શર્મા

ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ૨૦૨૦ના રાજીવ ગાંધી ખેલ રત્ન અવૉર્ડ માટે રોહિત શર્માના નામની ભલામણ કરવામાં આવી છે, જ્યારે અર્જુન અવૉર્ડ માટે શિખર ધવન, ઇશાન્ત શર્મા અને દીપ્તિ શર્માના નામની ભલામણ કરવામાં આવી છે. કેટલાક દિવસ પહેલાં ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા દીપ્તિ શર્મા તેમ જ અન્ય મહિલા ક્રિકેટરોનાં નામની આ અવૉર્ડ માટે ભલામણ કરવાના સમાચાર આવ્યા હતા, જેમાં હવે ભારતીય પુરુષ ટીમના પ્લેયરોનો પણ સમાવેશ થયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલયે ૧ જાન્યુઆરી ૨૦૧૬થી ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધી નોંધપાત્ર પર્ફોર્મન્સ આપનારા પ્લેયરોની આ અવૉર્ડ માટે યાદી માગી હતી.

rohit sharma cricket news sports news