વેસ્ટ ઇન્ડીઝની ટીમ ટૂર અધૂરી છોડીને ચાલી ગઈ એની ચર્ચા બોર્ડ આજે કરશે

21 October, 2014 05:28 AM IST  | 

વેસ્ટ ઇન્ડીઝની ટીમ ટૂર અધૂરી છોડીને ચાલી ગઈ એની ચર્ચા બોર્ડ આજે કરશે



ભવિષ્યની વેસ્ટ ઇન્ડીઝ સાથેની ક્રિકેટ-ટૂર્સ સ્થગિત કરવી કે ટીમ પરત જતી રહી એથી ભારતીય ક્રિકેટ બોર્ડને થયેલું આર્થિક નુકસાન વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ પાસેથી વસૂલ કરવું એનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવશે.

ક્રિકેટ બોર્ડની વર્કિંગ કમિટીની બેઠક પહેલાં ઇન્ડિયન પ્રીમિયર લીગની ગવર્નિંગ કાઉન્સિલ પણ મળશે અને વેસ્ટ ઇન્ડીઝના પ્લેયરોને લીગ ક્રિકેટમાં રમવા દેવા કે કેમ એની ચર્ચા થશે.

દરમ્યાન શ્રીલંકા ક્રિકેટ બોર્ડે એની ટીમને ભારતમાં પાંચ વન-ડેની સિરીઝ રમવા માટે મોકલવાના નિર્ણયની ટીકાના જવાબમાં કહ્યું હતું કે ક્રિકેટના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડે કહ્યું હતું કે ભારતનું નિમંત્રણ સ્વીકારવાનો નિર્ણય બોર્ડની એક્ઝિક્યુટિવ કમિટીમાં લેવામાં આવ્યો હતો. બોર્ડે અચાનક ભારતની ટૂરનો કાર્યક્રમ તૈયાર કર્યો એના કારણે કુમાર સંગકારાએ બોર્ડના નિર્ણયની વ્યાવહારિકતા સામે શંકા દર્શાવી હતી કે આના કારણે ટીમના ફિટનેસ પ્રોગ્રામને અસર થશે.