દિલ્હીમાં જોડાયા બાદ અશ્વિને માન્યો કિંગ્સ ઇલેવન પંજાબનો આભાર

10 November, 2019 09:59 AM IST  |  Mumbai

દિલ્હીમાં જોડાયા બાદ અશ્વિને માન્યો કિંગ્સ ઇલેવન પંજાબનો આભાર

રવિચંદ્રન અશ્વિન

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના કૅપ્ટન તરીકેની ફરજ બજાવતો રવિચંદ્રન અશ્વિન હવે દિલ્હી કૅપિટલથી રમતો જોવા મળશે. પંજાબની ટીમ પાસેથી મળેલા સપોર્ટને લીધે તેણે ટીમનો આભાર માન્યો છે. કિંગ્સ ઇલેવન પંજાબની વેબસાઇટ પર આભાર-મેસેજ મૂકીને અશ્વિને લખ્યું હતું, ‘કિંગ્સ ઇલેવન પંજાબ સાથેની જર્ની ખૂબ સારી રહી. હું જ્યારે પણ પાછળ ફરીને જોઈશ ત્યારે મને આ ટીમ સાથે વિતાવેલાં બે વર્ષ જરૂર યાદ આવશે. હવે આગળ હું નવી તક અપનાવવા માગું છું. છેલ્લાં બે વર્ષમાં ફૅન્સ પાસેથી જે સપોર્ટ મળ્યો છે એ માટે હું તેમનો આભાર માનું છું. તમારી પાસેથી મળેલો એન્ડલેસ સપોર્ટ ખૂબ જ અમૂલ્ય હતો.’

ravichandran ashwin sports news