કુંબલે અને હરભજન બાદ ઘરઆંગણે ૨૫૦ વિકેટ લેનાર બોલર બન્યો અશ્વિન

15 November, 2019 11:27 AM IST  |  Mumbai

કુંબલે અને હરભજન બાદ ઘરઆંગણે ૨૫૦ વિકેટ લેનાર બોલર બન્યો અશ્વિન

અશ્વિન

ભારતની જમીન પર ૨૫૦ વિકેટ લેનાર રવિચંદ્રન અશ્વિન ગઈ કાલે ત્રીજો ઇન્ડિયન બોલર બન્યો હતો. બંગલા દેશ સામેની ટેસ્ટ મૅચમાં અશ્વિને બે વિકેટ લીધી હતી. તેણે જ્યારે બંગલા દેશના કૅપ્ટન મોમિનુલ હકને આઉટ કર્યો ત્યારે તેણે આ સિદ્ધિ મેળવી હતી. ઓપનિંગ સેશનમાં ચાર ઓવરમાં તેને ૨૫૦મી વિકેટ લેવાની તક મળી હતી, પરંતુ અજિંક્ય રહાણેએ કૅચ છોડતાં તે આ તક ચૂકી ગયો હતો. જોકે લંચ બાદ તેણે એ તક ઝડપી લીધી હતી. અનિલ કુંબલેએ અત્યાર સુધીમાં ભારતની જમીન પર ૩૫૦ અને હરભજન સિંહે ૨૬૫ વિકેટ લીધી છે.

ravichandran ashwin