આરે કૉલોનીનાં વૃક્ષો બચાવવા માટે આગળ આવ્યો રોહિત શર્મા

09 October, 2019 02:30 PM IST  |  નવી દિલ્હી

આરે કૉલોનીનાં વૃક્ષો બચાવવા માટે આગળ આવ્યો રોહિત શર્મા

રોહિત શર્મા

મુંબઈ મેટ્રો માટે આરે કૉલોનીમાંનાં જે વૃક્ષો કાપવામાં આવ્યાં છે એની વિરુદ્ધ રોહિત શર્માએ પણ અવાજ ઉઠાવ્યો છે. બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝ આને માટે આગળ આવી છે અને રોહિત શર્મા પણ એમાં જોડાયો છે. આ વિશે રોહિતે કહ્યું હતું કે ‘તમારી પાસે કહેવા માટે ભલે ગમે તેવી સ્ટોરી હોય, પરંતુ ઝાડ કાપવામાં આવ્યાં એનાથી મોટી વાત કોઈ નથી. આરે કૉલોનીને કારણે મુંબઈમાં ગ્રીનરી છે અને ટેમ્પરેચર પણ થોડું અલગ છે. આપણે કેવી રીતે એ વૃક્ષોને કાપી શકીએ. ઝાડ સાથે કેટલાં પ્રાણીઓ ઘરવિહોણાં થઈ જશે એ કહેવાની જરૂર નથી.’

cricket news sports news save aarey aarey colony rohit sharma