13 February, 2020 03:44 PM IST | Mumbai Desk
શિખર ધવનનું કહેવું છે કે કે. એલ. રાહુલ બારમા પ્લેયર તરીકે પણ સેન્ચુરી મારી શકે છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમના રેગ્યુલર ઓપનર શિખર ધવન હાલમાં ઈજાગ્રસ્ત હોવાને લીધે ટીમની બહાર છે. જોકે તેની સાથે અનેક વાર ઓપનિંગ કરી ચૂકેલા લોકેશ રાહુલના પર્ફોર્મન્સથી તે ખુશ છે. ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રીજી વન-ડેમાં રાહુલે ૧૧૨ રનની શતકીય પારી રમી હતી જેના બાદ તેને શુભેચ્છા આપતાં સોશ્યલ મીડિયા પર ધવને કહ્યું કે ‘ભાઈ, ઘણું સારું રમ્યો અને વન્ડરફુલ સેન્ચુરી હતી. તું જે પ્રમાણે રમી રહ્યો છે એને જોઈને લાગે છે કે ૧૨માં પ્લેયર તરીકે પણ તું રમે તો સેન્ચુરી ફટકારી શકે છે.’
ન્યુ ઝીલૅન્ડ સામેની ટી૨૦ અને વન-ડે સિરીઝ બાદ ઇન્ડિયા હવે યજમાન ટીમ સાથે બે ટેસ્ટ-મૅચની સિરીઝ રમશે.