ખેલાડીઓના માર્ગદર્શન માટે પુજારા કરતાં સારો બીજો કોઈ નહીં : ઉનડકટ

31 January, 2019 09:27 AM IST  | 

ખેલાડીઓના માર્ગદર્શન માટે પુજારા કરતાં સારો બીજો કોઈ નહીં : ઉનડકટ

જયદેવ ઉનડકટ

નાગપુરમાં ત્રીજી ફેબ્રુઆરીથી સૌરાષ્ટ્ર અને વિદર્ભ વચ્ચે રણજી ટ્રોફીની ફાઇનલ રમાશે. દરમ્યાન સૌરાષ્ટ્રના કૅપ્ટન જયદેવ ઉનડકટે કહ્યું હતું કે ‘અમારા ખેલાડીઓના માર્ગદર્શન માટે ચેતેશ્વર પુજારા કરતાં સારો બીજો કોઈ નથી.

આ પણ વાંચો : IND VS NZ: ત્રીજા નંબર પર બેટિંગ કરી શકે છે આ ધુંઆધાંર બેટ્સમેન

ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝમાં શાનદાર ફૉર્મનું પ્રદર્શન કરનારા પુજારાએ પોતાના એ ફૉર્મને રણજી ટ્રોફીમાં પણ જાળવી રાખ્યું હતું. તેણે ઉત્તર પ્રદેશ અને કર્ણાટક સામેની અનુક્રમે ક્વૉર્ટર ફાઇનલ અને સેમી ફાઇનલમાં મૅચ જિતાડનારી ઇનિંગ્સ રમી હતી. ઉનડકટે કહ્યું હતું કે ‘ટીમમાં પુજારાનો સૌથી સારો પ્રભાવ છે. ભારતીય ટીમ માટે હાલમાં તે આધાર સમાન છે, જ્યારે સૌરાષ્ટ્રની ટીમ માટે તે ઘણા સમયથી આધારરૂપ છે.’

cheteshwar pujara jaydev unadkat sports news cricket news