28 November, 2019 11:59 AM IST | Mumbai
એમ.એસ.કે. પ્રસાદ
ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર એમ.એસ.કે. પ્રસાદનું કહેવું છે કે મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી સાથે તેના સંબંધ હજી પણ અકબંધ છે. આ મુદ્દે વાત કરતાં પ્રસાદે કહ્યું હતું કે ‘મારા કાર્યકાળ દરમ્યાન મેં ઘણા લેજન્ડરી ક્રિકેટરોની સલાહ લીધી હતી જેનાથી ઘણી મદદ મળી હતી. ધોની અને કોહલી સાથે મારા સંબંધ હજી પણ ઘણા સારા છે. લોકો અમારા વિશે કંઈ પણ કહેતા રહે, પણ મને ખબર છે કે તે લોકો મને ઘણું માન-સન્માન આપે છે. હું એક મૅનેજમેન્ટ સ્ટુડન્ટ છું અને આંધ્ર ક્રિકેટ અસોસિએશનમાં મેં આના કરતાં પણ વધારે અઘરી પરિસ્થિતિનો સામનો કર્યો છે. મારા ખ્યાલથી મારે અને ઇન્ડિયા ‘એ’ મૅનેજમેન્ટ સાથે બેસીને પ્લેયરોના વિકાસ માટે કામ કરવાની જરૂરત છે. સિનિયર પ્લેયરોની જરૂરિયાત શું છે એ ધ્યાનમાં રાખીને અને એ પ્રમાણે પ્લેયરોને તૈયાર કરવામાં ભલાઈ છે.’