રણજીમાં મુંબઈને જીતની આશા

14 February, 2019 02:36 PM IST  | 

રણજીમાં મુંબઈને જીતની આશા

મુંબઈ રણજી ટીમ

ગઈ કાલે સૌરાષ્ટ્ર સામેની રણજી ટ્રોફી મૅચમાં પહેલી ઇનિંગ્સમાં લીડ મેળવ્યા બાદ શ્રેયસ અય્યરે ૬૦ બૉલમાં ફટકારેલા ૮૩ રનના કારણે મુંબઈ માટે વિજયની આશા જન્માવી છે. શ્રેયસ ધર્મેન્દ્ર જાડેજાના ત્રણ બૉલમાં ત્રણ સિક્સર ફટકાર્યા બાદ ચોથા બૉલમાં સિક્સર મારવા જતાં આઉટ થયો હતો. મુંબઈએ ત્રીજા દિવસના અંતે બીજી ઇનિંગ્સમાં પાંચ વિકેટે ૧૭૫ રન કર્યા છે. આમ તેણે કુલ ૨૨૧ રનની લીડ મેળવી લીધી છે. બીજી તરફ ગઈ કાલે મુંબઈના ૩૯૪ રનના જવાબમાં સૌરાષ્ટ્ર ૩૪૮ રનમાં ઑલઆઉટ થયું હતું.

ranji trophy mumbai ranji team saurashtra cricket news sports news