25 October, 2019 03:00 PM IST | નવી દિલ્હી
MSK પ્રસાદ
ઇન્ડિયાના ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદનું કહેવું છે કે તેઓ મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્ય કરતાં ટીમ માટે શું સારું છે એ વિચારી રહ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડનો પ્રેસિડન્ટ બન્યા બાદ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે ધોનીના ભવિષ્ય વિશે હું તેની અને સિલેક્ટર સાથે વાત કરીશ. જોકે ચીફ સિલેક્ટર તેમના મંતવ્યને લઈને ચોક્કસ છે. આ વિશે વધુ જણાવતાં પ્રસાદે કહ્યું હતું કે ‘અમે આગળનું વિચારી રહ્યા છીએ અને એ વિશે અમે એકદમ ચોક્કસ છીએ. વર્લ્ડ કપ બાદ અમે ચોક્કસ હતા અને હવે અમે રિષભ પંત પર ફોકસ કરી રહ્યા છીએ. તે સારી મૅચ નથી રમ્યો, પરંતુ તે વધુ સારો દેખાવ કરે એવું અમે ઇચ્છીએ છીએ. વર્લ્ડ કપ બાદ અમે યુવાનો પર ફોકસ કરી રહ્યા છીએ અને એથી તમે અમારી વિચારસરણી સમજી ગયા હશો. અમે ધોની સાથે વાત કરી હતી અને તે પણ યુવાનોને પસંદ કરવાના અમારા વ્યુ વિશે સહમત છે.’