ચાર દિવસની ટેસ્ટ મૅચ માટે હમણાં વાત કરવી યોગ્ય નથી : ગાંગુલી

01 January, 2020 03:59 PM IST  |  Mumbai

ચાર દિવસની ટેસ્ટ મૅચ માટે હમણાં વાત કરવી યોગ્ય નથી : ગાંગુલી

સૌરવ ગાંગુલી

(આઇ.એ.એન.એસ.) ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીનું કહેવું છે કે ટેસ્ટ મૅચ ચાર દિવસની કરવી એ માટે હાલમાં કમેન્ટ કરવી યોગ્ય નથી. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના ભાગરૂપે રમાનારી ટેસ્ટ મૅચ ૨૦૨૩થી ચાર દિવસની કરવાનું આઇસીસી વિચારી રહી છે. તાજેતરમાં આપેલી એક મુલાકાતમાં ઉક્ત સંદર્ભે વાત કરતાં ગાંગુલીએ કહ્યું કે ‘પહેલાં અમારી પાસે આ વિશે પ્રસ્તાવ આવવા તો દો. આ પ્રસ્તાવનો સ્ટડી કર્યા બાદ એ વિશે કંઈ કહી શકીશું. આ વિશે વાત કરવી થોડી વહેલી ગણાશે.’

cricket news sourav ganguly