પંતને શું સીટ ગરમ કરવા માટે રાખ્યો છે?

14 February, 2020 03:49 PM IST  |  Mumbai Desk

પંતને શું સીટ ગરમ કરવા માટે રાખ્યો છે?

આઇપીએલની ટીમ દિલ્હી કૅપિટલ્સના કો-ઓનર અને જેએસડબ્લ્યુ સ્ટીલના ડિરેક્ટર પાર્થ જિન્દલે હાલમાં રિષભ પંત અને રવિચંદ્રન અશ્વિન વિશે વાત કરતાં પોતાના વિચાર વહેતા કર્યા છે. પંત અને અશ્વિનને ન્યુ ઝીલૅન્ડ સામેની ટીમમાં સામેલ ન કરાતાં તેમનો ગુસ્સો ફૂટ્યો હતો. આ બન્ને પ્લેયરોમાં ટૅલન્ટ હોવા છતાં તેમને ટીમમાં સામેલ કરાયા નહોતા. આ વિશે જિન્દલે કહ્યું હતું કે ‘પંતને શું ટીમમાં માત્ર સીટ ગરમ કરવા માટે રાખ્યો છે? તેને રિઝર્વમાં રાખવા કરતાં ઇન્ડિયા-‘એ’ અથવા તો ડોમેસ્ટિક ક્રિકેટમાં રમાડવામાં ‍આવે તો એ વધારે સારું રહેશે. ટૅલન્ટેડ પ્લેયર હોવા છતાં તેને પાંચ ટી૨૦ અને ત્રણ વન-ડેમાં રમાડવામાં ન આવ્યો.’
બીજી બાજુ અશ્વિન વિશે વાત કરતાં જિન્દલે કહ્યું કે ‘મને ખબર નથી પડતી કે શા માટે અશ્વિનને ટીમમાં નથી લેવાયો? આ વિકેટ લેનાર પ્લેયર સામે શું અણગમો છે? ટી૨૦માં વાઇટવૉશ કરનાર ટીમને કિવીઓએ ફરી બતાવી દીધું કે તેમણે સેમી ફાઇનલમાં આપણને મહાત કેવી રીતે આપી. ઇન્ડિયાને વિકેટ લેનારા અને એક્સ-ફૅક્ટરવાળા પ્લેયરની
જરૂર છે.’

sports news sports cricket news Rishabh Pant ravichandran ashwin