બીસીસીઆઇના સિલેક્ટર્સ માટે આગરકર, મોંગિયા અને ચેતન શર્માએ કરી અરજી

26 January, 2020 01:35 PM IST  |  Mumbai Desk

બીસીસીઆઇના સિલેક્ટર્સ માટે આગરકર, મોંગિયા અને ચેતન શર્માએ કરી અરજી

ઇન્ડિયન ક્રિકેટ ટીમના સિલેક્ટર્સના પદ માટે ભૂતપૂ‍ર્વ પ્લેયરોએ ભારતીય ક્રિકેટ બોર્ડમાં અરજી કરી છે. આ પ્લેયરોમાં અજિત આગરકર, ચેતન શર્મા, લક્ષ્મણ શિવરામકૃષ્ણનન, નયન મોંગિયા, અભય કુરુવિલા જેવા પ્લેયરોનો સમાવેશ છે. બીસીસીઆઇએ પોતાની મેન્સ અને વિમેન્સની સિનિયર તેમ જ જુનિયર ટીમ માટે અરજી મગાવી હતી. ઉક્ત પ્લેયરો ઉપરાંત વેંકટેશ પ્રસાદ, રાજેશ ચૌહાણ અને અમય ખુરશિયાએ પણ સિલેક્ટર્સની પોસ્ટ માટે અરજી કરી છે. નવેમ્બર મહિનામાં એમએમકે પ્રસાદની ચાર વર્ષની સિલેક્ટર્સની પોસ્ટની સમયમર્યાદા પૂરી થઈ હતી.

sports news sports cricket news