જૂન ૨૦૨૦ પછી હું સત્તા પર રહેવા નથી માગતો : આઇસીસીના ચૅરમૅન શશાંક મનોહર

11 December, 2019 02:19 PM IST  |  Mumbai Desk

જૂન ૨૦૨૦ પછી હું સત્તા પર રહેવા નથી માગતો : આઇસીસીના ચૅરમૅન શશાંક મનોહર

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલના ચૅરમૅન શશાંક મનોહરે હાલમાં જણાવ્યું છે કે તેઓ જૂન ૨૦૨૦ પછી પોતાના પદ પર પુન: નિયુક્ત થવા નથી માગતા. આ વિશે સ્પષ્ટપણે વાત કરતાં શશાંક મનોહરે કહ્યું હતું કે ‘આગામી બીજા બે વર્ષ માટે કામ કરવામાં મને જરાય રસ નથી. અંદાજે પાંચ વર્ષ સુધી મેં ચૅરમૅનપદે રહીને કામ કર્યું છે. આ વિશે મારા વિચાર ઘણા સ્પષ્ટ છે. જૂન ૨૦૨૦ પછી હું સત્તા પર કાયમ રહેવા નથી માગતો. મારો અનુગામી કોણ હશે એ વાતની જાણ આવતા વર્ષે મે મહિનામાં થઈ જશે. મોટા ભાગના ડિરેક્ટરોએ મને આ પદ પર યથાવત્ રહેવાનું કહ્યું, પણ મેં તેમને જણાવી દીધું છે કે એમ કરવા માટે હું સહમત નથી.’

sports news sports cricket news shashank manohar