9 વાગે 9 મિનિટ: ક્રિકેટરોએ પણ દેશવાસીઓ સાથે પ્રગટાવ્યા દિવા

06 April, 2020 11:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

9 વાગે 9 મિનિટ: ક્રિકેટરોએ પણ દેશવાસીઓ સાથે પ્રગટાવ્યા દિવા

9 વાગે 9 મિનિટ: ભારતીય ક્રિકેટરોએ આપ્યું સમર્થન

રવિવારે રાત્રે 9 વાગે 9 મિનિટ માટે દેશમાં જે વાતાવરણ નિર્માણ થયું હતું તે જોઈને દિવાળીની યાદ આવી ગઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે પણ દીવા પ્રગટાવીને મહામારી કોરોના વાયરસ (COVID-19) સામેની લડાઈમાં હું દેશની સાથે છું તેવો સંદેશો આપ્યો હતો. ભારતીય ક્રિકેટર્સ વિરાટ કોહલી, કે એલ રાહુલ, ઝહીર ખાન, હાર્દિક પંડયા, સુરેશ રૈના, હરભજન સિંહ, શિખર ધવન, આર અશ્વિન અને કૉચ રવિ શાસ્ત્રીએ પણ દીવા પ્રગટાવ્યા હતા.

<

આ અવસરે પીવી સિંધૂ અને સાઈના નહેવાલે પણ દીપ પ્રગટાવીને સંદેશો આપ્યો હતો કે આ મહામારી સામેની લડતમાં અમે દેશની સાથે જ છીએ.

સહુએ આ મહામારીમાંથી જલ્દી છુટકારો મળે તેવી કામના પણ કરી હતી.

coronavirus covid19 narendra modi sports sports news pv sindhu saina nehwal