વાનખેડેમાં માત્ર ૧૫ ટકા ટિકિટો વેચાઈ છે

21 October, 2011 06:47 PM IST  | 

વાનખેડેમાં માત્ર ૧૫ ટકા ટિકિટો વેચાઈ છે

 

(હરિત એન. જોશી)

મુંબઈ, તા. ૨૧

જોકે ગઈ કાલે વેચાણના પ્રથમ દિવસે માત્ર ૨૩૦૦ એટલે અંદાજે ૧૫ ટકા જેટલી જ ટિકિટો વેચાઈ હતી.

ભારત ત્રણેય વન-ડે જીતીને સિરીઝ કબજામાં કરી ચૂક્યું છે, પરંતુ વાનખેડેમાં ટિકિટોના ભાવ ૧૦૦૦, ૨૦૦૦, ૩૦૦૦, ૪૦૦૦, ૫૦૦૦ તથા ૨૦,૦૦૦ રૂપિયા જેટલા ઊંચા હોવાથી, દિવાળીનો તહેવાર હોવાથી તેમ જ સચિન સહિતના સિનિયરો ન રમતા હોવાથી લોકોમાં ઉત્સાહ નથી જોવા મળ્યો. અસોસિએશન સાથે જોડાયેલી ક્લબોએ પણ ઓછો રસ બતાવ્યો છે.