21 October, 2011 06:47 PM IST |
(હરિત એન. જોશી)
મુંબઈ, તા. ૨૧
જોકે ગઈ કાલે વેચાણના પ્રથમ દિવસે માત્ર ૨૩૦૦ એટલે અંદાજે ૧૫ ટકા જેટલી જ ટિકિટો વેચાઈ હતી.
ભારત ત્રણેય વન-ડે જીતીને સિરીઝ કબજામાં કરી ચૂક્યું છે, પરંતુ વાનખેડેમાં ટિકિટોના ભાવ ૧૦૦૦, ૨૦૦૦, ૩૦૦૦, ૪૦૦૦, ૫૦૦૦ તથા ૨૦,૦૦૦ રૂપિયા જેટલા ઊંચા હોવાથી, દિવાળીનો તહેવાર હોવાથી તેમ જ સચિન સહિતના સિનિયરો ન રમતા હોવાથી લોકોમાં ઉત્સાહ નથી જોવા મળ્યો. અસોસિએશન સાથે જોડાયેલી ક્લબોએ પણ ઓછો રસ બતાવ્યો છે.