28 December, 2012 03:57 AM IST |
સનીએ એનડીટીવી ચૅનલને કહ્યું હતું કે ‘ધોનીએ ત્રણેય ફૉર્મેટની ટીમની કૅપ્ટન્સીમાંથી બ્રેક લેવાની જરૂર છે. તે આવું કરશે તો પછીથી તેની લીડરશિપમાં ચમત્કારિક સુધારા જોવા મળશે. તેની પાસેથી સુકાન લઈને વિરાટ કોહલીને સોંપી દેવું જોઈએ. નેતૃત્વની બાબતમાં મને વિરાટમાં મન્સૂર અલી ખાન પટૌડી જેવા ગુણો દેખાય છે. ધોનીને હમણા નહીં તો ફેબ્રુઆરીની ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝ પછી કૅપ્ટન્સી છોડી દેવાનું કહી દો. જો તે એવું ન કરે તો તેનું સુકાન લઈને વિરાટને સોંપી દેવામાં કંઈ ખોટું નથી.’