ધોનીને ત્રણેય ફૉર્મેટની કૅપ્ટન્સીમાંથી આરામની જરૂર : સની

28 December, 2012 03:57 AM IST  | 

ધોનીને ત્રણેય ફૉર્મેટની કૅપ્ટન્સીમાંથી આરામની જરૂર : સની



નવી દિલ્હી: સચિન તેન્ડુલકરે વન-ડેમાંથી નિવૃત્તિ લીધી એ પહેલાં તેના ફૂટવર્ક વિશે ટીકા કરીને તેને રિટાયરમેન્ટ માટે વિચારતો કરી દેનાર ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકરે ગઈ કાલે મહેન્દ્ર સિંહ ધોનીની બાબતમાં ક્રિકેટ બોર્ડને સલાહ આપતા વિધાનો કર્યા હતા.

સનીએ એનડીટીવી ચૅનલને કહ્યું હતું કે ‘ધોનીએ ત્રણેય ફૉર્મેટની ટીમની કૅપ્ટન્સીમાંથી બ્રેક લેવાની જરૂર છે. તે આવું કરશે તો પછીથી તેની લીડરશિપમાં ચમત્કારિક સુધારા જોવા મળશે. તેની પાસેથી સુકાન લઈને વિરાટ કોહલીને સોંપી દેવું જોઈએ. નેતૃત્વની બાબતમાં મને વિરાટમાં મન્સૂર અલી ખાન પટૌડી જેવા ગુણો દેખાય છે. ધોનીને હમણા નહીં તો ફેબ્રુઆરીની ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝ પછી કૅપ્ટન્સી છોડી દેવાનું કહી દો. જો તે એવું ન કરે તો તેનું સુકાન લઈને વિરાટને સોંપી દેવામાં કંઈ ખોટું નથી.’