ઉમેશ, બાલાજી પછી વિનયને પણ ઈજા T20 સિરીઝ માટે મિથુનનો સમાવેશ

19 December, 2012 05:59 AM IST  | 

ઉમેશ, બાલાજી પછી વિનયને પણ ઈજા T20 સિરીઝ માટે મિથુનનો સમાવેશ


નવી દિલ્હી : ઉમેશ યાદવ પછી લક્ષ્મીપતિ બાલાજીને ઇન્જરી થઈ હતી અને હવે વિનયકુમાર પણ ઈજાને કારણે નહીં રમી શકે એટલે તેના બદલે અભિમન્યુ મિથુનને ટીમમાં સમાવવામાં આવ્યો છે. પ્રથમ T20 આવતી કાલે પુણેમાં અને છેલ્લી શનિવારે મુંબઈમાં રમાશે.

તિવારીને બદલે રાયુડુ

થોડા દિવસ પહેલાં મનોજ તિવારી ઘાયલ થતાં તેના બદલે અંબાતી રાયુડુને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોની આ ટીમનો કૅપ્ટન અને વિકેટકીપર છે. ટીમના બીજા પેસબોલરોમાં અશોક ડિન્ડા, ભુવનેશ્વરકુમાર અને પરવિન્દર અવાનાનો સમાવેશ છે.

ઍન્ડરસન-ટ્રૉટને આરામ

ઇંગ્લૅન્ડે ભારતમાં જાન્યુઆરીમાં રમાનારી પાંચ મૅચની વન-ડે સિરીઝમાંથી નાગપુર-ટેસ્ટના મૅચવિનર જેમ્સ ઍન્ડરસનને અને બૅટ્સમૅન જોનથન ટ્રૉટને આરામ આપ્યો છે.