21 May, 2022 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કમ્બોડિયાના વડા પ્રધાન હુન સેન
રાશિ ચક્રનું પાલન કરનારા તેમ જ અંધશ્રદ્ધાના નામે કાંઈ પણ કરનારાઓ મોટા ભાગે અભણ અને ગ્રામીણ વિસ્તારના લોકો હોય છે એવી એક સર્વસાધારણ માન્યતા છે, પરંતુ આ માન્યતાને ખોટી પાડે એવી એક વાત જાહેર થઈ છે, જે મુજબ બદનસીબીથી બચવા કમ્બોડિયાના વડા પ્રધાન હુન સેને તેમની સત્તાવાર જન્મતારીખને તેમના સાચા જન્મદિનની તારીખથી બદલવાનો નિર્ણય કર્યો છે.
છેલ્લા કેટલાય દસકાથી સત્તાવાર જન્મતારીખનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવા છતાં ચીની રાશિ કૅલેન્ડર સાથે સંલગ્ન થવા માટે તેઓ જન્મતારીખ બદલી રહ્યા છે. વાસ્તવમાં તેમની સત્તાવાર અને સાચી એમ બે જન્મતારીખ છે જે અનુક્રમે ૪ એપ્રિલ ૧૯૫૧ અને પાંચમી ઑગસ્ટ ૧૯૫૨ છે.