29 January, 2020 09:19 AM IST | Rajasthan
ખુરસી પર બેસાડી કાળભૈરવની મૂર્તિ
રાજસ્થાનના સિરોહી જિલ્લાના રેવદર ગામમાં પંચાયતની ચૂંટણી પછી નવા બનેલા સરપંચજી જ્યારે પદભાર ગ્રહણ કરવા આવ્યા ત્યારે તેમણે જે કર્યું એ જોઈને બધા દંગ રહી ગયા હતા. આ સરપંચસાહેબે ઘોષણા કરી હતી કે તેમના પાંચ વર્ષના કાર્યકાળ દરમ્યાન તેઓ કદી સરપંચની ખુરસી પર નહીં બેસે. એને બદલે તેમણે કાળ ભૈરવની તસવીરને ચૅર પર બિરાજમાન કરી દીધી હતી. સરપંચનું કહેવું છે કે તે રોજ જમીન પર પાથરેલી જાજમ પર બીજા પંચોની સાથે બેસીને જ કાર્યાલયનું કામકાજ સંભાળશે, એટલું જ નહીં જો તેઓ ઑફિસ ન આવે તો અહીંના કર્મચારીઓએ ખુરસી પર બિરાજમાન કાળભૈરવની સવાર-સાંજ આરતી કરવાની રહેશે.