12 October, 2019 10:03 AM IST |
દાંતથી 42 કિલોની તલવાર ઉઠાવી આ ભક્તે
ભગવાન શિવનો અવતાર મનાતા ખંડોબાનું મંદિર પુણેથી 51 કિલોમીટર દૂર જેજુરીમાં આવેલું છે. દર વર્ષે દશેરા પર અહીં હલ્દી ઉત્સવ મનાવાય છે. એમાં આખા મંદિરને હળદરથી લેપીને સોના જેવું ચમકાવાય છે. આ દિવસે અહીં ૪૨ કિલોની તલવાર ઊંચકવાની કૉમ્પિટિશન હોય છે. એ ખાસ એટલા માટે છે કેમ કે ભક્તોએ આ તલવાર દાંતથી ઊંચકવાની હોય છે. આ વખતે એક શ્રદ્ધાળુએ એક વ્યક્તિને પીઠ પર બેસાડીને દાંતથી 42 કિલોની તલવાર ઉઠાવી હતી.
માન્યતા છે કે પૃથ્વી પર મલ્લ અને મણિ રાક્ષસના અત્યાચારને નાથવા માટે ભગવાન શિવે માર્તંડ ભૈરવનું સ્વરૂપ ધારણ કરેલું. આ મંદિર નાનકડા પહાડ પર છે જ્યાં પહોંચવા લગભગ 200 દાદરા ચડવાના હોય છે.