ઘરકેદ થયેલા લોકો માટે કેરળમાં શરૂ કરાઈ ડોનેટ અ બુક યોજના

20 March, 2020 07:59 AM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

ઘરકેદ થયેલા લોકો માટે કેરળમાં શરૂ કરાઈ ડોનેટ અ બુક યોજના

‘ડોનેટ અ બુક’ કેમ્પેન

કોરોના વાઇરસથી બચવા શું કરવું અને શું ન કરવું એ માટેનનાં પૅમ્ફલેટ્સ વચ્ચે કેરળના વાયનાડમાં અનેક ભાષામાં છપાયેલા એક પૅમ્ફલેટે ધ્યાન ખેંચ્યું છે. વાયનાડના જિલ્લા વહીવટી તંત્રએ એક નવી પહેલ શરૂ કરી છે, જેમાં જિલ્લામાં હોમ ક્વૉરન્ટાઇન્ડ લોકોમાં ‘ડોનેટ અ બુક’ યોજના હેઠળ પુસ્તકો અને સામાયિક વહેંચવાનું ઠરાવાયું છે.

ક્વૉરન્ટાઇન્ડ રહેલા લોકો પ્રત્યેનો આ પ્રકારનો પૉઝિટિવ અભિગમ મુશ્કેલીની આ ઘડીમાં તેઓ એકલા નથી, સમાજના લોકો તેમની સાથે જ છે એવો સંદેશો પહોંચાડે છે.

એકઠાં કરવામાં આવેલાં આ પુસ્તકો અને સામયિકો સંબંધિત પંચાયતના મેકૅનિઝમ મારફત ક્વૉસ્ટીન લોકો સુધી પહોંચાડવામાં આવશે. પંચાયતનાં સૂત્રોએ જણાવ્યા અનુસાર આ યોજનાને બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે અને એકાંતવાસ વેઠી રહેલા લોકોએ પણ પુસ્તકો સાથે હળવા થવાની વાતને ઉત્સાહપૂર્વક વધાવી લીધી છે.

આ પણ વાંચો : એકાંતવાસમાં આ ઍથ્લીટભાઈ 10 કલાકમાં 61 કિલોમીટર દોડ્યા

‘ડોનેટ અ બુક’ યોજનાની માહિતી માટેનાં પૅમ્ફલેટ્સ જર્મન, સ્પૅનિશ અને ફ્રેન્ચ ઉપરાંત આસામી, હિન્દી, બંગાળી, તેલુગુ અને તામિલ ભાષામાં છપાવવામાં આવ્યાં છે.

kerala offbeat news hatke news national news