આ જ પત્ની જન્મોજનમ મળે એ માટે પતિઓએ કર્યું વટસાવિત્રીનું વ્રત

17 June, 2019 09:06 AM IST  |  પૂણે

આ જ પત્ની જન્મોજનમ મળે એ માટે પતિઓએ કર્યું વટસાવિત્રીનું વ્રત

પતિઓએ કર્યું વટસાવિત્રીનું વ્રત

જોક્સની માર્કેટમાં પતિ-પત્નીના સંબંધો એ સૌથી સરળ વિષય છે. પત્નીઓની ઘણી મજાક પણ ઉડાડાય છે. જોકે હજીયે ભારતમાં કેટલાક પુરુષો એવા છે જેઓ પત્ની માટે ખૂબ પ્રેમ અને રિસ્પેક્ટ ધરાવે છે. આ પતિઓએ તેમને મળી એ જ પત્ની જન્મોજનમ મળે એ માટે વટસાવિત્રીના દિવસે વડની ફરતે સાત ફેરા લીધા હતા.

આ પણ વાંચો : કોર્ટે કહ્યું,'ગાય જે ઘર સામે ઉભી રહે તે તેનો માલિક'

પુણે પાસે આવેલા સાંગવી શહેરમાં માનવ હક સંરક્ષણ અને જાગૃતિ સંસ્થાના કેટલાક પુરુષોએ સ્ત્રી-પુરુષ સમાનતા દાખવવા માટે વટસાવિત્રી પૂર્ણિમાનું વ્રત કર્યું હતું એટલું જ નહીં, લગભગ ૪૦ જેટલા પુરુષોએ વડની ફરતે સૂતરનો ધાગો પરોવીને સાત ફેરા લીધા હતા.

pune offbeat news hatke news