26 June, 2020 10:50 AM IST | Karnataka | Gujarati Mid-day Correspondent
ચ્યવનપ્રાશ આઇસક્રીમ
જો ઇન્ટરનેટ પર ચૉકલેટ મૅગી અને ઓરિયો ભજિયાં જેવી ફ્યુઝન આઇટમો જોઈને તમારું નાકનું ટીચકું ચડી જતું હોય તો હવે એથીયે વધુ મોટો શૉક મળે એવા સમાચાર છે. એક આઇસક્રીમ બ્રૅન્ડે ચ્યવનપ્રાશ ફ્લેવરનો આઇસક્રીમ બહાર પાડ્યો છે. જે ઇમ્યુનિટી વધારનારો હોવાનો દાવો થઈ રહ્યો છે. કોરોનાકાળમાં રોજ ચ્યવનપ્રાશ લેવાથી ઇમ્યુનિટી સુધરે છે એવું આયુર્વેદ નિષ્ણાતો કહેતા આવ્યા છે ત્યારે આઇસક્રીમ બ્રૅન્ડે એને સ્વીટ ડિઝર્ટમાં કન્વર્ટ કરી નાખ્યો છે. અલબત્ત, આ ફ્લેવર જોઈને ભલભલા લોકોએ આશ્ચર્ય અને આઘાતજનક રિઍક્શન આપ્યાં છે.