ઇમ્યુનિટી માટે ચ્યવનપ્રાશ આઇસક્રીમ આવી ગયો છે!

26 June, 2020 10:50 AM IST  |  Karnataka | Gujarati Mid-day Correspondent

ઇમ્યુનિટી માટે ચ્યવનપ્રાશ આઇસક્રીમ આવી ગયો છે!

ચ્યવનપ્રાશ આઇસક્રીમ

જો ઇન્ટરનેટ પર ચૉકલેટ મૅગી અને ઓરિયો ભજિયાં જેવી ફ્યુઝન આઇટમો જોઈને તમારું નાકનું ટીચકું ચડી જતું હોય તો હવે એથીયે વધુ મોટો શૉક મળે એવા સમાચાર છે. એક આઇસક્રીમ બ્રૅન્ડે ચ્યવનપ્રાશ ફ્લેવરનો  આઇસક્રીમ બહાર પાડ્યો છે. જે ઇમ્યુનિટી વધારનારો હોવાનો દાવો થઈ રહ્યો છે. કોરોનાકાળમાં રોજ ચ્યવનપ્રાશ લેવાથી ઇમ્યુનિટી સુધરે છે એવું આયુર્વેદ નિષ્ણાતો કહેતા આવ્યા છે ત્યારે આઇસક્રીમ બ્રૅન્ડે એને સ્વીટ ડિઝર્ટમાં કન્વર્ટ કરી નાખ્યો છે. અલબત્ત, આ ફ્લેવર જોઈને ભલભલા લોકોએ આશ્ચર્ય અને આઘાતજનક રિઍક્શન આપ્યાં છે.

national news offbeat news hatke news