૨૮ વર્ષની મહિલાને સૂર્યકિરણથી ૨૮ વાર કૅન્સરનું નિદાન થયું છે

13 April, 2021 08:14 AM IST  |  California | Gujarati Mid-day Correspondent

૧૦ લાખમાં એકને આવી બીમારી થાય છે.

સૂર્યકિરણ

ઍન્ડ્રિયા ઇવોન મનરો નામની મહિલા આખો દિવસ ઘરમાં જ બેસી રહે છે. વહેલી સવારનો કૂણો તડકો લેવા કે સાંજે પણ તે બહાર આવતી નથી. ૨૮ વર્ષની આ મહિલાની શરીરની ચામડી સૂર્યનો પ્રકાશ સહન નથી કરી શકતી. કૅલિફૉર્નિયામાં રહેતી આ મહિલા નાની હતી ત્યારથી તેને કુલ ૨૮ વખત સ્કિન-કૅન્સર થઈ ચૂક્યું છે. માત્ર ૨૩ વર્ષની વયે જ તેને મેનોપૉઝ પણ આવી ગયું હતું. તે ઝડપથી વૃદ્ધ થઈ રહી છે. આ બીમારીને ઝેરોડોરમા પિગમેન્ટોસમ કહેવામાં આવે છે. ૧૦ લાખમાં એકને આવી બીમારી થાય છે. તેને ચામડીનું કૅન્સર થવાની ઘણી શક્યતા રહે છે. જોકે તેણે આ સ્થિતને હવે સ્વીકારી લીધી છે. આ રોગ ધરાવતા લોકો સાંભળવાની શક્તિ પણ બહુ ઝડપથી ગુમાવી દે છે તેમ જ તેમનું સરેરાશ જીવન માત્ર ૩૭ વર્ષનું જ હોય છે. જોકે ઍન્ડ્રિયા પોતાનો આ રોગ વધુ ન વકરે એની કાળજી લે છે. તે આખો દિવસ ઘરમાં જ બેસી રહે છે અને રાતે જ ઘરની બહાર નીકળે છે. જો કોઈ દિવસ ડૉક્ટરને મળવા માટે બહાર જવાનું હોય તો સૂર્યના તડકાથી બચી શકાય એવાં કપડાં પહેરે છે. છેલ્લે તેને ઑક્ટોબર ૨૦૨૦માં કૅન્સર થયું હતું, જેમાંથી બચવા માટે તેની ઘણી સર્જરી પણ કરવામાં આવી હતી.

offbeat news international news california