રેતીમાંથી ભગવાન શ્રીગણેશની પ્રતિમા

02 September, 2022 10:59 AM IST  |  Puri | Gujarati Mid-day Correspondent

તેમણે એના ફોટોગ્રાફ્સ ટ્વિટર પર શૅર કર્યા છે

સૅન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે ગણેશ ચતુર્થી નિમિત્તે ઓડિશાના પુરી બીચ પર બનાવેલું ભગવાન શ્રીગણેશનું ભવ્ય સૅન્ડ સ્ક્લ્પ્ચર

ખ્યાતનામ સૅન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે ગણેશ ચતુર્થી નિમિત્તે ઓડિશાના પુરી બીચ પર ભગવાન શ્રીગણેશનું ભવ્ય સૅન્ડ સ્ક્લ્પ્ચર તૈયાર કર્યું છે. તેમણે એના ફોટોગ્રાફ્સ ટ્વિટર પર શૅર કર્યા છે. પટનાયકે તેમના ટ્વીટમાં લખ્યું હતું કે ‘રેતીમાંથી બનેલા ૩૪૨૫ લાડુ અને ફૂલોનો ઉપયોગ કરીને ભગવાન શ્રીગણેશની મેં તૈયાર કરેલી પ્રતિમા.’ આ ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે. 

offbeat news odisha ganesh chaturthi national news