આ રિક્ષામાં મફતમાં બેસવું હોય તો તમારું જનરલ નૉલેજ સુધારો

24 November, 2021 01:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિક્ષાચાલકે સંકલનભાઈને રિક્ષામાં બેસાડવાની સાથે કહ્યું કે તેઓ જીકે (જનરલ નૉલેજ)ના ૧૫ સવાલના સાચા જવાબ આપશે તો તે ફ્રીમાં સવારી કરાવશે, પણ સંકલનભાઈ બીજા જ જવાબમાં મહાત ખાઈ ગયા.

આ રિક્ષામાં મફતમાં બેસવું હોય તો તમારું જનરલ નૉલેજ સુધારો

સંકલન સરકાર નામના ફેસબુક-યુઝરે શૅર કરેલી પોસ્ટમાં એક એવા રિક્ષાચાલક વિશે લખ્યું છે જે લોકોને સામાન્ય જ્ઞાનના સવાલ પૂછે છે અને સાચા જવાબ આપનારને મફતમાં રિક્ષાસવારી કરાવે છે. બંગાળના હાવડાના સુરંજન કર્માકર નામના આ રિક્ષાચાલકે સંકલનભાઈને રિક્ષામાં બેસાડવાની સાથે કહ્યું કે તેઓ જીકે (જનરલ નૉલેજ)ના ૧૫ સવાલના સાચા જવાબ આપશે તો તે ફ્રીમાં સવારી કરાવશે, પણ સંકલનભાઈ બીજા જ જવાબમાં મહાત ખાઈ ગયા.

offbeat news